રાજકોટનાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા, જાણો શું કહ્યું…
B INDIA રાજકોટ : રાજકોટમાં 511 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. આ દરમિયાન જયેશ રાદડિયા નામ લીધા વગર સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, હુ જે કામ કરૂ છું તેના કારણે સમાજમાં અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે. પણ હું કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ. -> જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા :- જયેશ રાદડિયાએ વિરોધી પર પ્રહાર કર્યો હતો. અને કહ્યું કે 2 થી 5 લોકો ટપોરી ગેંગ જેવા છે,અને સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે સાથે-સાથે આવા લોકોને સારું થાય છે તે જોવાતું નથી. રાજનીતિમાં લેવાદેવા નથી તેમ છત્તા સમાજમાં રાજનીતિ કરે છે અને અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે. -> 511 દીકરીઓનાં ભવ્ય સમુહલગ્નોત્સવ…







