અમદાવાદ: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ રોડ બંધ, અહીં જાણો

આવતી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબરમતી રીવર્ફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરની હાજરીને ધ્યાનમાં રાખીને માર્ગો પર વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. રસ્તાઓ પર પ્રતિબંધ: વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમનો રીવર્ફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વિકલ્પ માર્ગ: વાહનચાલકો નીચેના માર્ગ દ્વારા અવરજવર કરી શકશે: વાડજ સ્મશાન ગૃહ કટ → વાડજ સર્કલ → ઉસ્માનપુરા ચાર રસ્તા → ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ (મધ્યભાગ) → બાટા શો રૂમ → ડી લાઇટ ચાર રસ્તા → ટાઉન હોલ ચાર રસ્તા → પાલડી ચાર રસ્તા પોલીસ કમિશનરે લોકોને સૂચના આપી છે કે આ દિવસે ટ્રાફિકના અટવાશ અને અવરજવર માટે પર્યાપ્ત સમય લઈ મુસાફરી કરવી. વિવીઆઇપી…