Jharkhand: કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારીને હત્યા, ખેતરમાં મળ્યો મૃતદેહ

રવિવારે ઝારખંડના જમશેદપુરના બાલીગુમામાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ વિનય સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ NH-33 પર દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વળાંકની અંદર લગભગ 500 મીટર દૂર એક ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. તેને માથામાં ગોળી વાગી હતી. ઘટનાસ્થળેથી વિનયનું સ્કૂટર અને પિસ્તોલ મળી આવી છે. હાથ અને પગ પર પણ ઘણી ઈજાના નિશાન મળી આવ્યા છે. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સિંહની હત્યાને લઈને ગુસ્સે ભરાયેલા કરણી સેનાના સભ્યોએ આગચંપી કર્યા બાદ નેશનલ હાઇવે ચક્કાજયાં કર્યો હતો. ત્રણ કલાક પછી, શહેર એસપી દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ વિરોધીઓ સંમત થયા. આ પછી, NH-33 પરનો જામ મોડી રાત્રે 1 વાગ્યે સમાપ્ત થયો. અગાઉ, દિમના રોડ આસ્થા સ્પેસ ટાઉનના રહેવાસી વિનય…