જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24 લોકોના મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાને ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા બે દિવસમાં હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદના કારણે પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…

વૈષ્ણોદેવી દર્શન માટે જનાર ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર, યાત્રા 7 ઑક્ટોબર સુધી સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા તાત્કાલિક અસરથી 7 ઑક્ટોબર 2025 સુધી માટે સ્થગિત કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભક્તોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પ્રદેશ માટે ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી જારી કરી છે. યાત્રા રૂટ પર ભેજ અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં રાખીને યાત્રાને મુલતવી રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે અગત્યની માહિતી: – યાત્રા 5 ઓક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી બંધ રહેશે. – ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં લઈને ટ્રેક પર તમામ પ્રવેશ નિયંત્રિત કરવામાં આવ્યો છે. – શ્રાઈન બોર્ડએ ભક્તોને ભલામણ કરી છે કે તેઓ નવી તારીખો અંગે પુષ્ટિ કર્યા વગર યાત્રા પર ન જાય. –…