નાઇજીરીયામાં ISIS સામે અમેરિકાનો ઘાતક હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી

ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સામે અમેરિકાએ એક મોટો અને ઘાતક લશ્કરી હુમલો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કાર્યવાહી વિશે જાણકારી આપતા કહ્યું કે આ હુમલો તેમના સીધા નિર્દેશ પર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે ISISના આતંકીઓ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં નિર્દોષ ખ્રિસ્તી નાગરિકોને નિશાન બનાવી ક્રૂર હત્યાઓ કરી રહ્યા હતા. આ હુમલો એવા જ આતંકીઓ સામે કરવામાં આવ્યો છે, જેમને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. ટ્રમ્પનું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,“કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશ પર, અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISISના આતંકવાદીઓ સામે શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે. આ આતંકીઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા હતા. મેં અગાઉથી તેમને ચેતવણી આપી હતી કે…

સીરિયામાં હુમલામાં ત્રણ અમેરિકનોના મોત, ટ્રમ્પ ગુસ્સે ભરાયા

સીરિયામાં થયેલા આતંકી હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકના મોત બાદ અમેરિકા તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા માટે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે અમેરિકા ચોક્કસપણે તેનો બદલો લેશે. “આ ISISનો હુમલો છે” – ટ્રમ્પ શનિવારે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળતી વખતે પત્રકારો સાથે વાત કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “આ ISISનો હુમલો છે અને અમે ચોક્કસપણે તેનો બદલો લઈશું.” ટ્રમ્પ આ સમયે આર્મી-નેવી ફૂટબોલ મેચ જોવા માટે બાલ્ટીમોર જઈ રહ્યા હતા. તેમણે હુમલામાં જીવ ગુમાવનાર ત્રણ અમેરિકનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે હુમલામાં ઘાયલ થયેલા અન્ય ત્રણ અમેરિકનોની હાલત સ્થિર છે અને તેઓ સાજા થઈ…

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક કાર્યક્રમમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે પાકિસ્તાન વારંવાર કહે છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે. તેમણે કહ્યું કે યાદ રાખો, જો તમે કોઈપણ દેશની અંદર જાઓ છો અને નિર્દોષ લોકોને મારી નાખો છો, તો કોઈપણ દેશ શાંત બેસવાનો નથી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે આ રીતે આવીને આપણી ભારતીય ધરતી પર હુમલો કરવો અને કોઈનો ધર્મ પૂછીને ગોળી મારી દેવી ખોટું છે. તમે કયા ધર્મની વાત કરો છો, તમે ખાવલિદ કરતા પણ…