બરેલીના મૌલાનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેતવણી આપી, કહ્યું: “અન્ય ધર્મોનું અપમાન નહીં”
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મુસ્લિમ ધર્મગુરુઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, બરેલીના પ્રખ્યાત મૌલાના શહબુદ્દીન રઝવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપી છે. મૌલાનાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સતત બીજાં ધર્મો વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. શહબુદ્દીન રઝવીએ ચેતવણીમાં કહ્યું,”બાબા (ધીરેન્દ્ર શાસ્ત્રી) પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે. તેમને પોતાના ધર્મનો પ્રચાર કરવો જોઈએ, પરંતુ બીજાના મઝહબ પર હુમલો કે અપમાન સહન કરવામાં આવશે નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને આવા નિવેદનોથી દેશની એકતા અને ભાઈચારાને નુકસાન પહોંચે છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ‘હિન્દુ રાષ્ટ્ર’ અને ‘સનાતન’ અંગે કરેલા નિવેદનો બાદ દેશભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં…







