કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા

ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સાંકડી ગલીઓમાં બચાવ કાર્ય અડચણભર્યું અગ્નિગામ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 15 ફાયર બ્રિગેડ ટીમોને ગોડાઉનમાં પ્રવેશ અને પાણી પહોંચાડવામાં મુશ્કેલી આવી, કારણ કે વિસ્તાર ખૂબ સાંકડી ગલીમાં આવેલો હતો. આગ એટલી વિકરાળ હતી કે બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો. લોકોનો આક્ષેપ સ્થાનિકો અને શ્રમિકોનો આક્ષેપ છે કે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતાં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો…

દિલ્હી-NCR માં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, એક વ્યક્તિનું મોત, 6 ઘાયલ

શુક્રવારે સાંજે દિલ્હી-NCR માં આવેલા શક્તિશાળી વાવાઝોડા અને ધૂળના તોફાને ભારે વિનાશ સર્જ્યો હતો. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, ઇમારતોને નુકસાન થયું અને માર્ગ અકસ્માતો થયા. આ ખરાબ હવામાનને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.   મધુ વિહારમાં દિવાલ ધરાશાયી, એકનું મોત, છ ઘાયલ:- મધુ વિહાર વિસ્તારમાં છ માળની ઇમારતની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું અને છ અન્ય ઘાયલ થયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારે પવનને કારણે દિવાલ ધરાશાયી થવાને કારણે આ અકસ્માત થયો હતો. વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.   સરાઈ રોહિલ્લામાં વૃક્ષો પડવાથી ગભરાટ:- સરાઈ રોહિલ્લામાં ભારે પવનને કારણે…