પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ માટે “ભારત પ્રાયોજિત આતંકવાદી સંગઠનો”ને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે આ હુમલાઓનો હેતુ પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો છે. પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી APP (Associated Press of Pakistan) અનુસાર, શરીફે અફઘાન સરહદ નજીકના વાનામાં આવેલી કેડેટ કોલેજ પર થયેલા હુમલામાં પણ નવી દિલ્હીની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. APP એ તેમને ટાંકીને કહ્યું કે, “આ હુમલાઓ ભારત-પ્રાયોજિત આતંકવાદનો ભાગ છે.” વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાનનું આ નિવેદન દેશની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને આશ્રય આપતું આવ્યું છે અને હવે…
ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ રાજદ્વારી નિર્ણયથી બંને દેશોની રાજકીય વાતચીતમાં તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે. ઘટનાઓની શરુઆત ભારત તરફથી થઈ હતી, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને ભારત સરકાર દ્વારા “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે તે અધિકારી ભારતમાં તેમના સત્તાવાર પદ સાથે સુસંગત પ્રવૃત્તિઓ કરતા નહોતા અને કથિત રીતે જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ચાર્જ ડી’અફેર્સને તાત્કાલિક બોલાવીને આ નિર્ણયની જાણ કરી અને સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડવા આદેશ કર્યો.…
OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા
ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે. ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો. પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.” ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ હુમલામાં મહત્વપૂર્ણ આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયું છે. ભારતીય સેના દ્વારા મળેલી માહિતી મુજબ, આ ઑપરેશનમાં કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના વિસ્તારોમાં આતંકવાદી કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાએ ઓપરેશનને સફળ ગણાવ્યું છે અને જણાવ્યું કે આ હુમલો આતંકવાદ પર ભારતની શૂન્ય સહનશીલતાની નીતિનો એક ભાગ છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભારતના હુમલાની પુષ્ટિ કરતાં તેને “યુદ્ધ સમાન પગલું” ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને દેશભરના લોકો અને સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે એકજૂટ છે.…
OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ કરવામાં આવી છે, જેમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકો શહીદ થયા હતા. ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પડોશીઓ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડ્યા. મળતી માહિતી મુજબ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દળોએ આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું છે જ્યાંથી ભારત…
UNSC બેઠક: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે ચર્ચા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક બંધ બારણે થઈ રહી છે, જેમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વિશ્વશક્તિઓ તરફથી શાંતિ અને સંયમની અપીલ કરવામાં આવી છે. 🇺🇳 બેઠકના શું છે મુદ્દા? UNSCની આ બેઠક પાકિસ્તાનની વિનંતી પર મળી રહી છે, જે હાલમાં કાઉન્સિલનું કામચલાઉ સભ્ય છે. ભારત હાલમાં UNSCનું સભ્ય નથી, તેથી પ્રતિનિધિત્વ ફોર્મલ રીતે હાજર નથી. બેઠકમાં ખાલિદ મોહમ્મદ ખિયારી, શાંતિ જાળવણી વિભાગના મહાસચિવ અને એશિયા-પેસિફિક માટેના અંડર-સેક્રેટરી-જનરલ, સભ્યોને પરિસ્થિતિ અંગે માહિતગાર કરી રહ્યા છે. 5 મેના રોજ, ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગે, UNSCની બેઠક શરૂ થઈ. પહેલગામ…












