Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો
દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોને ભેટ આપી તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. યમ દ્વિતીયા કેમ કહેવાય છે? પ્રાચીન માન્યતા અનુસાર, યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા. યમુનાએ તેમના સ્વાગત માટે તિલક લગાવ્યો, આરતી કરી અને ભોજન કરાવ્યું. યમરાજે ખુશ થઈને આશીર્વાદ આપ્યો કે જે કોઈ ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જશે અને તિલક કરાવશે, તે લાંબુ આયુષ્ય પામશે. ત્યારથી આ દિવસ યમ દ્વિતીયા તરીકે ઓળખાય છે. ભાઈબીજ 2025 માટે શુભ મુહૂર્ત: – અભિજીત મુહૂર્ત: સવારે 11:43 થી બપોરે 12:28…
NAVRATRI 2025 : માતા ચંદ્રઘંટાની પૂજા થશે બે દિવસ સુધી, જાણો આરતી અને મંત્ર વિષે
સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પણ આ વર્ષે તે 10 દિવસ સુધી ઉજવાશે. આ વિશેષતા તૃતીયા તિથિનું બે દિવસ સુધી ચાલવાનું સંયોગ બનવાથી શક્ય બન્યો છે. પંચાંગ મુજબ, તૃતીયા તિથિ 24 સપ્ટેમ્બર સવારે 4:51 થી શરૂ થઈ 25 સપ્ટેમ્બર સવારે 7:06 સુધી રહેશે. આથી માતાજીના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા સતત બે દિવસ સુધી કરવામાં આવશે. નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું…








