અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી…

પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS ને સોંપવામાં આવ્યો છે . આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે અને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેમાં અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર SOGને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં તેમના ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈ તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે ગુજરાત…