બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા

બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…

ઉત્તરાખંડમાં કોઈ ઑફ-સીઝન ન હોવી જોઈએ. અહીં પર્યટન હંમેશા ચાલુ રહેવું જોઈએઃ વડાપ્રધાન મોદી

પીએમ મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં, મુખવામાં મા ગંગાની પૂજા કર્યા પછી, તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી. અહીં તેમણે સૌપ્રથમ ઉત્તરાખંડના માના ગામમાં હિમપ્રપાતમાં મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, માનામાં થયેલા અકસ્માત પર હું દુઃખ વ્યક્ત કરું છું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ પછી, પીએમ મોદીએ ઉત્તરાખંડની તેમની જૂની મુલાકાતોને યાદ કરી. તેમણે કહ્યું કે હાલનો દાયકો ઉત્તરાખંડનો દાયકો છે. તેમણે એમ પણ કહ્યું કે ઉત્તરાખંડમાં કોઈ ઑફ-સીઝન ન હોવી જોઈએ. અહીં પર્યટન હંમેશા ચાલુ રહેવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું, ‘ઉત્તરાખંડની આ દેવભૂમિ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલી છે.’ ચારધામ અને અનંત યાત્રાઓનો આશીર્વાદ છે. મારું માનવું છે કે માતા ગંગાના આશીર્વાદથી હું કાશી પહોંચ્યો છું અને સાંસદ…

કરોડોની ભીડ દ્વારા નદીમાં સ્નાન છતા મહાકુંભમાં નથી ફેલાઇ બીમારી, ન્યુક્લિઅર ટેક્નોલોજીને જાય છે શ્રેય

અત્યાર સુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, પરંતુ અત્યાર સુધી મહાકુંભમાં કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવાના કોઈ સંકેત નથી. આ આંકડો અમેરિકા અને રશિયાની સંયુક્ત વસ્તી કરતાં પણ વધુ છે. દેશના વિજ્ઞાન મંત્રીએ આનો શ્રેય પરમાણુ ટેકનોલોજીના ચમત્કારને આપ્યો. કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ’50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે અને છતાં સ્વચ્છતા સંબંધિત કોઈ સમસ્યા કે રોગચાળાના ભયના કોઈ સંકેત નથી.’ રવિવારે તેમણે સંગમમાં સ્નાન કર્યું. -> પરમાણુ ટેકનોલોજીનો ચમત્કાર :- કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક મોટી વાત છે અને આ અનોખી સિદ્ધિ પરમાણુ ટેકનોલોજી પર આધારિત ગટર શુદ્ધિકરણ પ્લાન્ટને કારણે શક્ય બની છે. આ પ્લાન્ટ મુંબઈ સ્થિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને કલ્પક્કમ…