Bindia
- Breaking News , Top News , Treding News , Trending News , ગુજરાત , ટેકનોલોજી
- January 7, 2026
ગાંધીનગરમાં મેટ્રોનો નવો ફેઝ શરૂ : 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો લોકાર્પણ
ગાંધીનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા મેટ્રો સેવાનો એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનું લોકાર્પણ કરશે. આ સાથે સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિમીનો નવો મેટ્રો ફેઝ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ સુધી ગાંધીનગરમાં મેટ્રો સેવા માત્ર સચિવાલય સુધી સીમિત હતી, પરંતુ આ નવા વિસ્તરણથી હવે મુસાફરોને મહાત્મા મંદિર સુધી સીધી અને સુલભ કનેક્ટિવિટી મળશે. નવા રૂટમાં સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય તેમજ સેક્ટર-16થી 24 સુધીના મહત્વપૂર્ણ સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેના કારણે સરકારી કર્મચારીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને મોટો લાભ મળશે. ખાસ વાત એ છે કે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે જોડતો કોરિડોર પણ…







