ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…