જનોઈ બદલવાની તારીખ અંગે મૂંઝવણ દૂર: ઋગ્વેદી બ્રાહ્મણો 26મીએ, તૈતરીય શાખાના ભૂદેવો 28મીએ યજ્ઞોપવિત બદલશે
બળેવ અને રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની તારીખ અને મુહૂર્તને લઈને વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. અલગ-અલગ વેદશાખા અને પરંપરા મુજબ જનોઈ બદલવાની તારીખ અલગ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ અંગે જ્યોતિષાચાર્ય ડો. દિલીપભાઈ દવેએ સ્પષ્ટતા કરતાં કઈ શાખાના બ્રાહ્મણોએ કયા દિવસે જનોઈ બદલવી તે અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઋગ્વેદી બ્રાહ્મણોએ બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત બદલવાનું રહેશે. જ્યારે અન્ય વેદશાખાના ભૂદેવો માટે પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને અલગ તારીખ નક્કી કરવામાં આવી છે. ઋગ્વેદી બ્રાહ્મણો 26 ઓગસ્ટે જનોઈ બદલશે ઋગ્વેદી બ્રાહ્મણો માટે 26 ઓગસ્ટ, બુધવારનો દિવસ જનોઈ બદલવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી…
ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા
ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સતત ખાબકેલા વરસાદના કારણે રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ગરબા જેવા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતિને જોઈને આજના તમામ ગરબા કાર્યક્રમો રદ કરવા પડયા. વરસાદ સાથે પવન પણ ગતિશીલ હોવાને કારણે બેનરો અને ડેકોરેશન ધરાશાયી થઈ ગયાં. સાબરકાંઠા (હિંમતનગર): હિંમતનગરમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ગરબા માટે નક્કી કરાયેલ જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા. બેનરો અને મંચના ડેકોરેશન પવન…








