રાજકોટમાં શિક્ષણતંત્રની કાર્યવાહી, વિદ્યાર્થી વિનાની 8 શાળાઓ બંધ
રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા તેમજ only-on-paper ચલતી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવાતા, રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપુર વિસ્તારમાં આવેલી 8 ખાનગી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા નિરીક્ષણ બાદ આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ન હોવાને કારણે તેમની માન્યતા રદ કરવાની ભલામણ થઈ છે. શૂન્ય અથવા માત્ર RTE પર આધારિત વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દિક્ષીત પટેલે જણાવ્યું કે, આ શાળાઓમાં કેટલાક વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રાયઃ બંધ હતી. અમુક શાળાઓમાં તો છેલ્લા પાંચ વર્ષથી કોઈ વિદ્યાર્થીઓ નહોતા, જ્યારે કેટલાક શાળાઓમાં માત્ર રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નોંધાયેલ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. શાળાઓને અગાઉ નોટિસ પાઠવીને રજુઆત માટે બોલાવવામાં આવી હતી. શાળા સંચાલકો સાથે થયેલી ચર્ચા બાદ, આ શાળાઓ બંધ કરીને તેમની માન્યતા…







