ચાંદીના ભાવમાં કડાકો: નફાખોરી કે મંદીની શરૂઆત? ડેટા સામે ખુલ્યું રોકાણકારોની વ્યૂહરચનાનું રહસ્ય

વિશ્લેષકો અને ડેટા અનુસાર, 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ભંડોળ પ્રવાહનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આ કોઈ લાંબા ગાળાની મંદીનો સંકેત નથી, પરંતુ માત્ર ટેકનિકલ કરેકશન (સુધારો) છે. રોકાણકારોએ બજાર છોડવાની બદલે, માત્ર નફો બુક કરીને પોતાની પોઝિશન એડજસ્ટ કરી છે. ભંડોળ પ્રવાહમાં ફેરફાર ત્રણ અઠવાડિયામાં ચાંદીના ભંડોળમાંથી આશરે $2.9 બિલિયન નીચેથી ઉડી ગયા હતા, પરંતુ હાલમાં $1.5 બિલિયનનો નવો પ્રવાહ જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીના ભાવ ટૂંકા ગાળામાં ખૂબ વધી ગયા હતા, તેથી દબાણ આવતા જ ભાવમાં ઘટાડો થવો સામાન્ય છે. રોકાણકારોની વ્યૂહરચના જ્યારે ચાંદી અને સોનામાં નફાખોરી થઈ રહી છે, ત્યારે એનર્જી સેક્ટરમાં રોકાણકારોનો આશાવાદ ઊંચો છે. એનર્જી ઈક્વિટી ફંડ્સમાં $4 બિલિયનનું રોકાણ આવ્યું છે, જે સપ્ટેમ્બર 2008 પછીનો…