જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા દળોની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ દરમિયાન જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, સુરક્ષા દળોએ બે થી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા છે અને તેમને પકડી પાડવા માટે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સ્તરે સુરક્ષાના કારણોસર કેટલાક વિસ્તારોમાં નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. સેનાના જવાનો નજીકથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉધમપુર જિલ્લામાં બે આતંકવાદીઓ ઠાર આ પહેલાં ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે…

છત્તીસગઢમાં સુરક્ષા દળોની નક્સલવાદીઓ સામે મોટી અથડામણ, 14 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુકમા જિલ્લામાં એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હતા જ્યારે બીજાપુર જિલ્લામાં એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે સવારે 5 વાગ્યાથી આ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સમયાંતરે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 14 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં શનિવારે સુરક્ષા દળો સાથેની અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચૌદ નક્સલીઓ માર્યા ગયા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સુકમામાં 12 થી વધુ નક્સલીઓ માર્યા ગયા હતા, જ્યારે પડોશી બીજાપુર જિલ્લામાં વહેલી સવારે બે માર્યા ગયા…

ગાંધીનગર: વૈભવ મનવાણી હત્યા કેસના સાયકો કીલરનું એન્કાઉન્ટર, પોલીસની રિવોલ્વર ખેચી અને …

ગાંધીનગર અડાલજ નજીક થયેલ હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મનવાણી હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારે આજે આરોપીને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાયકો કીલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. હત્યાના આરોપી વિપુલ પરમારને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આરોપી સાયકો કીલર વિપુલે જ્યાં મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન…

Jharkhand: બોકારોમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 9 નક્સલીઓ ઠાર

સોમવારે સવારે ઝારખંડના બોકારો જિલ્લામાં એક મોટા ઓપરેશનમાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કોબ્રા કમાન્ડો અને સ્થાનિક પોલીસે એક એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કર્યા. લાલપાનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે લગભગ 5:30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું. આ ઓપરેશનમાં CRPFની 209 કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA) ની ટીમ સામેલ હતી. એક કરોડનું ઇનામ ધરાવતો નક્સલી સહિત ઘણા લોકો માર્યા ગયા માર્યા ગયેલા નક્સલીઓમાંથી એક નક્સલી પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર લુગુ હિલ્સમાં થયું હતું, જેને લાંબા સમયથી નક્સલ પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં સુરક્ષા દળોની હાજરીથી જ સમયાંતરે ગોળીબાર ચાલુ હતો. ઓપરેશન દરમિયાન કોઈ સુરક્ષા કર્મચારી ઘાયલ થયો ન હતો, જે ઓપરેશનની સફળતા દર્શાવે છે. મોટી માત્રામાં શસ્ત્રો મળી…