ઉત્તરાયણના દિવસે 4,947 ઇમરજન્સી કોલ મળ્યા, ગત વર્ષની સરખામણીમાં 345 વધુ નોંધાયા
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો. મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારોમાં વધારો થયો છે. 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા હતા જેને લઇને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. OPDમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. અમદાવાદમાં 37 લોકોને દોરીથી ઇજાઓ પહોંચી હતી, જેમાં 34 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે દર્દીને 4 એડમિટ કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં 143 લોકો દોરીથી ઇજાગ્રસ્ત થયા છે. ધાબા પરથી પડવાના 10થી વધુ કેસ નોંધાયા છે. -> જિલ્લા પ્રમાણે ઈમરજન્સી કોલની વિગતો :- અમદાવાદમાં સૌથી…







