ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 2.89 કરોડ મતદાતાઓના નામ બહાર

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાના ભાગરૂપે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. નવા સુધારા મુજબ રાજ્યમાંથી 2.89 કરોડ મતદાતાઓના નામ હટાવવામાં આવ્યા છે. SIR બાદ ઉત્તર પ્રદેશમાં કુલ 12.55 કરોડ મતદારો રહી ગયા છે, જેમાંથી 46 લાખ મતદારોનું અવસાન નોંધાયું છે. પ્રક્રિયા અને સમયપત્રક: ડ્રાફ્ટ યાદી 31 ડિસેમ્બર, 2025ના દિવસે પ્રકાશિત થવાની હતી, પરંતુ સુધારેલા સમયપત્રક મુજબ આજે કમિશનની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. – દાવા અને વાંધા નોંધાવવા માટે સમયગાળો: 6 જાન્યુઆરી – 6 ફેબ્રુઆરી, 2026. – નોટિસ સમયગાળા: 6 જાન્યુઆરી – 27 ફેબ્રુઆરી, 2026, દરમિયાન મળેલા દાવા અને વાંધાઓનું ઉકેલ લાવવામાં આવશે. – અંતિમ મતદાર યાદી: 6 માર્ચ, 2026. મતદાર યાદીનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. 15 કરોડથી વધુ મતદારોમાંથી…

અમિત શાહનો હૂંકાર: DMK સરકાર છે ‘ભારતમાં સૌથી ભ્રષ્ટ’, એપ્રિલ 2026માં NDA સરકાર બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુડુક્કોટ્ટાઈમાં જાહેર સભામાં DMK સરકાર પર પ્રહાર કર્યો અને દાવો કર્યો કે તમિલનાડુમાં હાલમાં સરકાર “ભારતમાં સૌથી ભ્રષ્ટ” છે. શાહે કહ્યું કે એપ્રિલ 2026માં NDA સરકાર તમિલનાડુમાં સત્તામાં આવશે. DMK દરેક મોરચે નિષ્ફળ: શાહે જણાવ્યુ કે DMK સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ, AIADMK અને અન્ય પાર્ટીઓ સાથે મજબૂત જોડાણ બનાવીને આગામી ચૂંટણીમાં સ્ટાલિન સરકારને અંતિમ લડાઈ આપશે. શાહે કહ્યું કે લોકોએ સ્ટાલિન સરકારથી કંટાળીને રાજ્યમાં મોટા ફેરફાર માટે તૈયારી કરી છે. વંશવાદી રાજકારણ પર હુમલો: અમિત શાહે સ્ટાલિન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા પર સરકાર નિષ્ફળ રહી છે અને DMKનું મુખ્ય ઉદ્દેશ ઉદયનિધિ સ્ટાલિનને આગામી મુખ્યમંત્રી બનાવવાનું છે. તેમણે કહ્યું, “તમિલનાડુમાં…