રાજકોટના છાપરામાં ફૂડ પાર્ક થયું લોન્ચ : ભારતના ફૂડ પ્રોસેસિંગ નકશામાં સૌરાષ્ટ્રને મજબૂત સ્થાન અપાવશે ફૂડ પાર્ક
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે. ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20…
ભારતનો આર્થિક ચમત્કાર: ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 115% નો જબરદસ્ત ઉછાળો, જાણો વિગત
ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 115% થી વધુ વધીને ₹9.86 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જયારે FY 2020-21માં આ રકમ ₹4.57 લાખ કરોડ હતી. આ વધારો ₹5.29 લાખ કરોડના સમાન છે. કોર્પોરેટ નફામાં મોટી વૃદ્ધિ FY 2020-21: ₹2.5 લાખ કરોડ FY 2024-25 (અંદાજિત): ₹7.1 લાખ કરોડ સરકારના જણાવ્યા અનુસાર, કંપનીઓના નફામાં આ ઐતિહાસિક વધારો ટેક્સ કલેક્શન વધારામાં મુખ્ય પરિબળ છે. ટેક્સ દરોમાં ઘટાડો અને નિયમોમાં સરળતા 2016 પછી લેવાયેલા પગલાંઓએ રોકાણ, રોજગાર અને અર્થતંત્રને વેગ આપ્યો: 2017: નાની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 25% 2019: મોટાભાગની કંપનીઓ માટે ટેક્સ દર 22% છૂટછાટો દૂર કરીને ટેક્સ પ્રણાલી સરળ બનાવી બેંકો દ્વારા બિનદાવાવાળી થાપણોની પરત છેલ્લા ત્રણ વર્ષમાં બેંકોે…
ભારતના GDPમાં FY26ના Q2માં 8.2% વૃદ્ધિ, અર્થતંત્ર ફરી મજબૂત પકડમાં
ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે 7.3% વૃદ્ધિનો અનુમાન લગાવ્યો હતો, જ્યારે RBI અને સરકાર બંનેએ પહેલા 7% માન્યું હતું. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલાં સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ વિસ્તારોમાં માંગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં આ વિકાસ દરને ઊંચો લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે. પ્રાઇમરી સેક્ટર (કૃષિ અને માઇનિંગ)માં વૃદ્ધિ: – કૃષિ ક્ષેત્રમાં 3.5% વૃદ્ધિ, ગયા વર્ષની તુલનામાં થોડી ધીમી – માઇનિંગ સેક્ટરમાં સ્થિરતા, માત્ર 0.04% ઘટાડો – ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ જણાવ્યું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…
ચીનને ટક્કર આપવા ભારતની મોટી ચાલ: મોદી સરકારે ₹7,280 કરોડની રેર અર્થ મેગ્નેટ યોજના મંજૂર કરી
ચીનના રેર અર્થ નિકાસ પ્રતિબંધો વચ્ચે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટે ₹7,280 કરોડના ખર્ચે “રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) મેન્યુફેક્ચરિંગ સ્કીમ”ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પહેલીવાર દેશમાં 6,000 MTPA ક્ષમતાનો પૂર્ણ REPM ઉત્પાદન ઈકોસિસ્ટમ ઉભો કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સ્કીમનો મુખ્ય હેતુ ભારતને ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ રીતે સ્વનિર્ભર બનાવવાનો છે. રેર અર્થ મેગ્નેટ શા માટે મહત્વપૂર્ણ છે? રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટ છે. એનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે: – ઇલેક્ટ્રિક વાહનોમાં – સોલાર અને પવન ઊર્જા ટેકનોલોજીમાં – સ્માર્ટફોન, લેપટોપ જેવા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં –…
અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત
અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન ભારતીય કંપનીઓ માટે લાંબા ગાળાના રોકાણના અવસરો અંગે જાહેરાત કરી. ખાસ કરીને ગોલ્ડ માઇનિંગ અને અન્ય કુદરતી સંપત્તિ ક્ષેત્રોમાં આ ખુલ્લા અવસરો ભારતીય રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્ય જાહેરાતો અને લાભો – ગોલ્ડ માઇનિંગ અને અન્ય સેક્ટર્સમાં ભારતીય કંપનીઓને 5 વર્ષ સુધી રાહત. – અફઘાનિસ્તાનમાં જમીન આપવા તૈયાર હોવાના કારણે ઓપરેશનલ બેઝ સરળતાથી ઊભો કરી શકાય. – મશીનરી અને સાધનો અફઘાનિસ્તાનમાં આયાત પર ફક્ત 1% ટૅરિફ શુલ્ક. – ગોલ્ડ પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે થાય જેથી સ્થાનિક રોજગારી વધે. ભારત-અફઘાનિસ્તાન વેપાર અને સહકાર – પાકિસ્તાન સાથેના તણાવ…
અફઘાનિસ્તાનના મંત્રી અઝીઝી ભારત પહોંચ્યા, પાકિસ્તાન પર દબાણ વધારવાની તૈયારી
અફઘાનિસ્તાનના વાણિજ્ય પ્રધાન હઝરત અલ્હાજ નૂરુદ્દીન અઝીઝી પાંચ દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારતમાં પહોંચ્યા છે. તેઓ IITF 2025ના વિશેષ મેલામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે જોડાયા અને ભારતીય વેપારીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા માટે કેન્દ્રિત છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે અને હવે ભારત સાથે વેપાર વધારવાનો દબાણ શરૂ કર્યું છે. આ પગલાથી બંને દેશના ગાઢ સંબંધોને મજબૂતી મળશે અને પાકિસ્તાનને બાયપાસ કરવાના વૈકલ્પિક માર્ગ ખોલાશે. ભારત-અફઘાનિસ્તાનના મુખ્ય વેપાર ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, મશીનરી, ખાંડ, ચા અને ચોખા સમાવેશ થાય છે, જ્યારે અફઘાનિસ્તાન તરફથી કૃષિ ઉત્પાદનો અને ખનિજો ભારતમાં આયાત થાય છે. અફઘાનિસ્તાન ભારત પાસેથી ખાણકામ અને જળવિદ્યુત ક્ષેત્રમાં રોકાણ ઇચ્છે છે. Follow us…
ભારતનો વિકાસ રોકવો અશક્ય: GDP 7.5% વૃદ્ધિ સાથે અર્થતંત્ર પર ચાર ચાંદ લગશે, SBI રિપોર્ટમાં દાવો
ભારતનું અર્થતંત્ર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 7.5 ટકા અથવા તેથી વધુ દરે વૃદ્ધિ પામશે, એવું SBI રિસર્ચના તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે સપ્ટેમ્બર અંતે GST દરમાં ઘટાડો અને તહેવારોની મોસમમાં વેચાણમાં વધારોના કારણે શક્ય બની રહી છે. અહેવાલ અનુસાર, રોકાણ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં સુધારો, અને સેવાઓ તેમજ ઉત્પાદન ક્ષેત્રોમાં ઝડપથી વૃદ્ધિ આ ઉંચી GDP વૃદ્ધિને ટેકો આપી રહી છે. GSTના માળખાકીય સુધારાઓએ પણ સ્થાનિક માંગને મજબૂત બનાવવામાં મદદ કરી છે. મુખ્ય આંકડા અને અનુમાન SBIના અહેવાલ મુજબ, બીજા ક્વાર્ટરના મુખ્ય અર્થશાસ્ત્રીય સૂચકાંકો 83% વધ્યા છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં આ દર 70% હતો. નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ સંબંધિત મોડેલ અનુસાર 7.5% હોવાની અપેક્ષા છે. ભારતીય રિઝર્વ બેંકે બીજા…
















