નેપાળમાં વિનાશક પૂરથી હાહાકાર: 157નાં મોત, 750થી વધુ લોકો લાપતા; બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ

નેપાળના હિમાલયી વિસ્તારમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે. લાપતા લોકોમાં 133 ભારતીય નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અનેક ગામો, રસ્તાઓ, પુલો અને વીજ પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ આપદાની અસર હવે ભારત સુધી પહોંચવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે બિહાર અને ઉત્તર પ્રદેશને હાઈ એલર્ટ પર રાખ્યા છે. ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં બિહારના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને NDRF સહિતની રાહત ટીમોને તૈયાર રાખવામાં આવી…

‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

ઓડિશામાં પૂરનો કહેર: 20 જિલ્લામાં આફત, 1.89 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

આસામ બાદ હવે ઓડિશામાં પણ પૂરનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. રાજ્યમાં મહાનદી અને તેની મુખ્ય શાખા નદી કાઠજોડીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં અનેક જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે 1.89 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ, ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઓડિશામાં મહાનદીમાં જળસ્તર વધતાં ચિંતા વધી ઓડિશામાં હાલ પૂરનું મુખ્ય કારણ મહાનદી અને તેની શાખા નદીઓમાં વધી રહેલો પાણીનો પ્રવાહ છે. મુંડલી અને નરાજ પાસે…

સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર, 31 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદથી આ દરમિયાન સૌથી વધુ અસર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં જોવા મળી હતી, જ્યાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત વરસાદના કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદથી અંબિકામાં સ્થિતિ ગંભીર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું હતું. થોડા કલાકોમાં જ 18…

ગુજરાતમાં 40,500 લોકોનું સ્થળાંતર, 1,100 રસ્તા બંધ; 2,637 લોકોનું રેસ્ક્યુ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારો અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તંત્રને સતત એલર્ટ રહેવા અને જરૂરિયાતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યની વરસાદી સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે…

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ હવે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે અમદાવાદ, વલસાડ, નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરતા લોકોને અને વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 23 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 261 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદી…

અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…

અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

મોબાઇલમાં અચાનક ગુંજ્યો ‘Extremely Severe Alert’, 11 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે સુરત સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં લાખો લોકોના મોબાઇલ ફોન પર અચાનક ‘Extremely Severe Alert’ ફ્લેશ થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સામાન્ય એસએમએસથી સંપૂર્ણપણે અલગ આ ઇમરજન્સી એલર્ટ સાથે મોબાઇલમાં જોરદાર ચેતવણીની ટોન પણ વાગી હતી, જેના કારણે ઘણા લોકો ક્ષણભર માટે કોઈ મોટી કુદરતી આપત્તિ સર્જાઈ હોવાની આશંકાથી ચોંકી ઉઠ્યા હતા. આ એલર્ટ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ મારફતે મોકલવામાં આવ્યો હતો. એલર્ટમાં આગામી 24 કલાક દરમિયાન સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હતી. આ સંદેશ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ અને વીડિયો ઝડપથી…