CJP આંદોલન વચ્ચે દિલ્હી પોલીસનો મોટો દાવો, 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓને લઈને મોટો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી સંચાલિત હોવાનો દાવો કરવામાં આવતા 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ એકાઉન્ટ્સ દ્વારા પ્રદર્શનને ઉશ્કેરવાનો પ્રયાસ અને ભ્રામક માહિતી ફેલાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગને લઈને ચાલી રહેલા આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતી પર સુરક્ષા એજન્સીઓની નજર વધી ગઈ છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ખોટી માહિતીના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે આવા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખોટી અફવાઓ ફેલાવવાનો આરોપ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર,…

7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’

રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…

જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટ સખ્ત: CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ

જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહીના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ, બોડી કેમેરાની રેકોર્ડિંગ અને સંબંધિત તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા પણ નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કાર્યવાહી ગેરબંધારણીય ગણાવી અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવવા તેમજ તેમના પર લાઠીચાર્જ કરવો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. વકીલ એન. હરિહરને કોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને…

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ

દિલ્હી NEET મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તણાવભરી સ્થિતિ દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ છે. NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર નજીક અચાનક હિંસા ફાટી નીકળ્યાનો પોલીસનો દાવો છે. મળતી માહિતી અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસ અને RAF જવાનો પર પથ્થરો અને લાકડીઓથી હુમલાનો આરોપ પોલીસના જણાવ્યા મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા…

દિલ્હીમાં AI સમિટમાં યુવા કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પ્રદર્શન પર FIR નોંધાઈ, ચાર કાર્યકરોની ધરપકડ

દિલ્હી પોલીસે Indian Youth Congressના ચાર કાર્યકરોને AI ઇમ્પેક્ટ સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવા અંગે FIR નોંધતા કડક કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પર જાહેર સેવક પર હુમલો, આદેશનો અનાદર, ગેરકાયદેસર સભા અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કેસ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 61(2) હેઠળ નોંધાયો છે. ધરપકડ કરાયેલા કાર્યકરો – કૃષ્ણ હરિ – બિહારના રાષ્ટ્રીય સચિવ – કુંદન યાદવ – બિહારના રાજ્ય સચિવ – અજય કુમાર – ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રમુખ -નરસિંહ યાદવ – તેલંગાણાના કાર્યકર ઘટના વિગતવાર શુક્રવારે સવારે, અંદાજે 10 કાર્યકરો પોતાના શર્ટ ઉતારીને હોલ નં.5ના લોબી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક આરોપીઓએ સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ સાથે ઝપાઝપી કરી. પોલીસકર્મીઓએ બધા વિરોધકારીઓને અટકાવી, FIR નોંધાઈ અને ચાર આરોપીઓ આજે…

પન્નુની ધમકી: ‘આતંકવાદીઓ દિલ્હી પહોંચ્યા’, પોલીસનું સ્પષ્ટીકરણ – વીડિયો ખોટો, સુરક્ષા હાઇ એલર્ટ પર

ખાલિસ્તાની આતંકવાદી સંગઠન **શીખ ફોર જસ્ટિસ (SFJ)**ના વડા અને વોન્ટેડ આતંકવાદી ગુરવતપંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારતને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં પન્નુએ દાવો કર્યો હતો કે ગણતંત્ર દિવસ પહેલા તેના સાગરિતોએ દિલ્હીમાં બે સ્થળોએ ભારત વિરોધી નારા લખ્યા છે. જો કે, દિલ્હી પોલીસની તપાસમાં આ દાવાઓ ખોટા સાબિત થયા છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે વીડિયોમાં કરવામાં આવેલા તમામ આરોપો ભ્રામક છે. તેમ છતાં, પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ હાઇ એલર્ટ પર છે અને કોઈપણ ધમકીને હલકામાં લેવામાં આવતી નથી. બાંગ્લાદેશ મારફતે આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ્યાની આશંકા દેશના ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને મહત્વપૂર્ણ ઇનપુટ આપ્યા છે કે પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓ બાંગ્લાદેશ થઈને ભારતમાં પ્રવેશ્યા છે.…

દિલ્હી પોલીસે 100 કરોડની આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીનો ભાંડાફોડ કર્યો, 7 આરોપીઓની ધરપકડ

દિલ્લીના IFSO યુનિટે સાઈબર ક્રાઇમની મોટી કાર્યવાહી દરમ્યાન આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ચીન, નેપાળ, કંબોડિયા, તાઇવાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલું હતું. કાર્યવાહી દરમિયાન 7 આરોપીઓ ધરપકડમાં આવ્યા છે, જેમાં એક તાઇવાન નાગરિક પણ શામેલ છે. ગેંગની છેતરપિંડીની રીત: સિમ બોક્સનો ઉપયોગ કરીને આ ગેંગ દેશભરમાં 100 કરોડ રૂપિયા જેટલી સાઈબર છેતરપિંડી કરી રહી હતી. આશરે 20,000 ફોન નંબર કાર્યરત હતા અને 1,000 થી વધુ ફરિયાદો મળી હતી. ગેંગે પીડિતોને ખોટા આરોપોમાં ફસાવી ડિજિટલ એરેસ્ટ અને તાત્કાલિક ધરપકડની ધમકી આપી રકમ વસૂલ કરાઈ. સિમ બોક્સની સ્થાપના: ACP વિજય ગેહલાવતની દેખરેખ હેઠળ ટીમે ગોયલા ડેરી, કુતુબ વિહાર, દીનપુર અને શાહબાદ ડેરીમાં સિમ બોક્સોની ઓળખ કરી. શશી પ્રસાદ, પરવિંદર સિંહ અને…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વિદેશથી MBBS કરેલા ડોક્ટરોની વિગતો માંગાઈ

દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ તેજ બની રહી છે. દિલ્હી પોલીસે NIA સાથે મળીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના ભાગરૂપે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને નોટિસ જારી કરી છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE અને ચીનમાંથી MBBS કરેલા અને હાલમાં દિલ્હીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની સંપૂર્ણ માહિતી તાત્કાલિક સોંપવા જણાવાયું છે. NIAની તપાસમાં નવી વિગતો બહાર આવી લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં આત્મઘાતી બોમ્બર ઉમર નબીના સંપર્કો અંગે પણ NIA તપાસ કરી રહી છે. ખાસ કરીને ઉમર નબી અને અલ-ફલાહ યુનિવર્સિટીના એક ડોક્ટર વચ્ચેના સંભવિત સંબંધોને લઈને એજન્સી સતર્ક છે. NIAએ અત્યાર સુધી યુનિવર્સિટીના 30 ડોક્ટરોના નિવેદનો નોંધ્યા છે. સાથી ડોકટર્સે કહ્યું છે કે ઉમર નબીનો સ્વભાવ અત્યંત અજીબ હતો અને તે પોતાના રૂમમાં માત્ર…

દિલ્હી હથિયાર તસ્કરી ભાંડાફોડ: લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાના પ્લાન નાકામ

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રોહિણી વિસ્તારમાં જ પકડાયેલા ચાર આરોપીઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવી હથિયારની ખેપ ભારતમાં લાવી લોરેન્સ બિશ્નોઈ, બમ્બીહા અને અન્ય કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત થયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક હથિયારો સામેલ હતા. તપાસ હેઠળના આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં ગુનાખોરી અને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના ખતરા સામે સુરક્ષા વધારવા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW…

દિલ્હી : લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા કડક, RSS મુખ્યાલય અને હિન્દુ એકતા યાત્રા પર સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ, દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. વિસ્ફોટ પછી દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ RSS મુખ્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિવિધ કેન્દ્રીય દળોના મુખ્યાલય અને દિલ્હી વિસ્તારમાં આવેલા સંરક્ષણ મથકો પર સુરક્ષા વધારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વમાં યોજાનારી હિન્દુ એકતા યાત્રા માટે પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ યાત્રા પર નજર રાખી રહી છે. આ યાત્રા 7 ઓક્ટોબરના રોજ છતરપુરથી શરૂ થઈ હતી અને આ અઠવાડિયે વૃંદાવન પહોંચીને સમાપ્ત થવાની છે. વિસ્ફોટ…