દિલ્હી મેટ્રોનું થશે વિસ્તરણ…… મોદી કેબિનેટે ₹12,000 કરોડથી વધુના પ્રોજેક્ટને આપી મંજૂરી
દિલ્હી મેટ્રો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફેઝ 5A માં દિલ્હી મેટ્રોનું વિસ્તરણ થશે, જેમાં 16 કિલોમીટર સુધી 13 નવા સ્ટેશનો હશે. મોદી કેબિનેટે દિલ્હી મેટ્રોના વિસ્તરણ માટે ₹12,015 કરોડને મંજૂરી આપી છે. દિલ્હી મેટ્રોને તુગલકાબાદથી કાલિંદી કુંજ, રામકૃષ્ણ આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ અને એરોસિટીથી ટર્મિનલ 1 સુધી લંબાવવામાં આવશે. ન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે ₹12,015 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રોના ફેઝ 5A ને મંજૂરી આપી છે. આનાથી મેટ્રો લાઇન 16 કિલોમીટર સુધી વિસ્તૃત થશે અને 10 ભૂગર્ભ અને ત્રણ એલિવેટેડ સ્ટેશન સહિત 13 સ્ટેશનો ઉમેરાશે. મંત્રીમંડળના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા વૈષ્ણવે આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મેટ્રો વિસ્તરણ પ્રોજેક્ટ ત્રણ વર્ષનો સમય લેશે. નવા વિસ્તરણ સાથે, દિલ્હી…
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, દિલ્હીના વિદ્યાર્થીઓ માટે કરી આ માંગ
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર અને દિલ્હી બંને સરકારો ખર્ચ ઉઠાવશે. કેજરીવાલે વડાપ્રધાનને લખેલા પત્રમાં લખ્યું છે કે, “દિલ્હીના વિદ્યાર્થીઓ તેમની શાળા કે કોલેજ સુધી પહોંચવા માટે મોટાભાગે મેટ્રો પર નિર્ભર છે. વિદ્યાર્થીઓ પરનો આર્થિક બોજ ઓછો કરવા માટે, હું દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50 ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકું છું. મને ખુશી છે કે . દિલ્હી મેટ્રો એ દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચેનો ૫૦:૫૦ સહયોગ પ્રોજેક્ટ છે,…








