સૂચિત ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં હડતાલનું એલાન

B India પોરબંદર : પોરબંદરમાં ખારવા સમાજની વિવિધ સ્થાનિક સંસ્થાઓએ સૂચિત જેતપુર – ગોસા ડીપ-સી પાઇપલાઇનના વિરોધમાં આજે (26 ડિસેમ્બર) પોરબંદરમાં અડધા દિવસની હડતાલની જાહેરાત કરી છે. માછીમારોએ તાજેતરમાં જ આ પ્રોજેક્ટ સામે એક પ્રભાવશાળી રેલી પણ યોજી હતી. આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ અંતર્ગત જેતપુર સ્થિત કાપડ ઉદ્યોગના એકમોમાં ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીના નિકાલ માટે પોરબંદરના દરિયાકાંઠે ઊંડા સમુદ્રની પાઇપલાઇનની દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદરના માછીમારોનો મત છે. કે આ પ્રકારની પાઇપલાઇન યોજનાથી માછીમારી ઉદ્યોગ નાશ પામશે કારણ કે પ્રદૂષિત પ્રવાહી માછલીઓને નુકસાન પહોંચાડશે. સ્થાનિકોની દલીલ છે કે જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયાકાંઠેથી શા માટે ફેંકી દેવું જોઈએ! સ્થાનિકો એમ પણ માને છે કે માછીમારી ઉદ્યોગ એ પોરબંદરની કરોડરજ્જુ છે અને જેતપુરનું પ્રદૂષિત પાણી શહેર અને તેના…