Pahalgam Terror Attack: ભારતે અટારી બોર્ડર કેમ કરી બંધ? પાકિસ્તાનને શું કરશે અસર; જાણો વિગત
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની અટારી સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાન સાથે વેપાર આ સરહદ દ્વારા થતો હતો. 23 એપ્રિલની સાંજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. આના થોડા સમય પછી, વિદેશ મંત્રાલયે એક બ્રીફિંગમાં માહિતી આપી કે ભારત સરકારે અટારી સરહદ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અટારી સરહદ ભારત બાજુ છે, જ્યારે વાઘા સરહદ પાકિસ્તાન બાજુ છે. આ સરહદ પાકિસ્તાન સાથેના વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. સીસીએસ હેઠળ લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી આપતાં, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે,ઇન્ટિગ્રેટેડ ચેક…







