રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મણિપુરની બે દિવસીય મુલાકાતે, જાણો વિગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (ગુરુવાર)થી તેમની પ્રથમ બે દિવસીય સત્તાવાર મુલાકાતે મણિપુર પહોંચ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુલાકાતના મુખ્ય મુદ્દા – રાષ્ટ્રપતિ મુર્મુ 11 ડિસેમ્બરે ઇમ્ફાલમાં યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. – 12 ડિસેમ્બરે તેઓ મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં બનેલા સ્મારક સંકુલની મુલાકાત લેશે. – બાદમાં તેઓ નાગા પ્રભુત્વ ધરાવતા સેનાપતિ જિલ્લામાં એક સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેશે. સુરક્ષા વધારાઈ — ઉગ્ર સંગઠનોનો વિરોધ રાષ્ટ્રપતિની મુલાકાત સામે મણિપુરમાં કાર્યરત અનેક આતંકવાદી અને વિદ્રોહી સંગઠનોના સંયુક્ત મંચ કોરકોમ (CorCom) એ 11 અને 12 ડિસેમ્બર માટે પૂર્ણ બંધ (total shutdown) જાહેર કર્યો છે. આને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી…







