‘ગોબરધન’ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી, 23,731 કરોડના ખર્ચે દેશભરમાં શરૂ થશે 700 સુધીના બાયોગેસ પ્લાન્ટ

દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) માટેની રાષ્ટ્રીય એકીકૃત ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. સરકારનો હેતુ આગામી દાયકામાં દેશમાં CBGનું ઉત્પાદન લગભગ દસ ગણું વધારવાનો અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ઓગસ્ટે વિશ્વ જૈવ-ઈંધણ દિવસના અવસરે આ યોજનાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શું છે ‘ગોબરધન’ યોજના? ‘ગોબરધન’ એટલે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના. તેની શરૂઆત વર્ષ 2018માં…

1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં ઘટાડો, નવી યુનિફાઇડ ટેરિફ સિસ્ટમથી લોકોને મળશે લાભ

આગામી 1 જાન્યુઆરી, 2026થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 2થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. ટેરિફ માળખામાં ફેરફાર PNGRBના સભ્ય એ.કે. તિવારીએ જણાવ્યું કે, બોર્ડે હાલની જટિલ ટેરિફ વ્યવસ્થાને સરળ બનાવી છે. અગાઉ અમલમાં રહેલી ત્રણ ઝોનની વ્યવસ્થા નાબૂદ કરીને હવે માત્ર બે ઝોન બનાવવામાં આવ્યા છે. દૂરના વિસ્તારોને વધુ લાભ પૂર્વમાં, 200 કિમી સુધીના અંતર માટે 42 રૂપિયા, 300-1,200 કિમી માટે 80 રૂપિયા અને 1,200 કિમીથી વધુ અંતર માટે 107 રૂપિયા ચૂકવવા પડતા હતા. નવી વ્યવસ્થા હેઠળ, 300 કિમીથી વધુના તમામ અંતર માટે એકીકૃત ‘યુનિફાઇડ’ ટેરિફ 54 રૂપિયા…