ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ

ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…

દશેરાના આગલા દિવસે જાગ્યું આરોગ્ય વિભાગ, ફરસાણની દુકાનો પર કરાઈ તાબડતોડ તપાસ

દશેરાના આગલા દિવસે આરોગ્ય વિભાગે તપાસ અભિયાન ચલાવીને ફરસાણની દુકાનો અને ખોરાક ઉત્પાદન કરતો ઉદ્યોગોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FSSAI-ફૂડ સેફ્ટી વિભાગ) દ્વારા સમગ્ર રાજ્યમાં 2225 પેઢીઓની તપાસ કરીને 676 નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 1198 કિલોગ્રામ ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 4.80 લાખથી વધુ છે. તહેવારોમાં શુદ્ધ ખોરાક સુનિશ્ચિત કરવાનો પ્રયાસ નવરાત્રી અને દશેરા જેવા તહેવારોમાં જમવાનું મહત્ત્વનું ભાગ હોય છે. લોકો મોટા પ્રમાણમાં ફરસાણ, મીઠાઈ અને પેકેજ્ડ ખોરાક ખરીદે છે. આ પરિસ્થિતિમાં ભેળસેળ અને અશુદ્ધ ખોરાક વેચાતા નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે – તે પહોંચી વળવા માટે તંત્રએ ચાંપતો દોર પાડ્યો છે. તપાસના મુખ્ય આંકડા: વિગતો આંકડા પેઢીઓની તપાસ…