Himachal: બિલાસપુરમાં બસની છત પર પડ્યો ભૂસ્ખલનનો કાટમાળ, 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ
છત્તીસગઢના બિલાસપુરમાં બલ્લુ પુલ પાસે ભૂસ્ખલન થયું. એક બસ ભારે કાટમાળ નીચે દટાઈ ગઈ. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના અહેવાલ છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, અકસ્માત પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો કાટમાળ સાફ કરવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. બસમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મુખ્યમંત્રીએ બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો મુખ્યમંત્રી ઠાકુર સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે…







