બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત…

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે. બજેટમાં નાણામંત્રીએ નીચેની મુખ્ય જાહેરાતો કરી છે: 1. રમતગમતના સાધનો સસ્તા થશે – ભારતમાં સ્પોર્ટ્સ હબ બનાવવા માટે, સરકાર રમતગમતના સાધનોના ઉત્પાદનમાં પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓ માટે સાધનોના ભાવમાં ઘટાડો લાવશે. 2. રિસર્ચ અને ઉત્પાદન – હાઈ-ક્વોલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ઉત્પાદન અને સંશોધન (R&D) માટે નવી પહેલ. – ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બને તેવી દિશામાં કામ. 3. ખેલો ઇન્ડિયા મિશન – નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ થશે. – ટેલેન્ટ ડેવલપમેન્ટ: પ્રતિભાઓને ત્રણ સ્તરે (ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ, એલિટ) તાલીમ આપવામાં આવશે. – સ્પોર્ટ્સ…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવા માટે ₹40,000 કરોડ ફાળવી રહી છે. તેમણે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ મિશન હેઠળ: ટેકનોલોજી અને કુશળ કામદારોની તાલીમ માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. ભારતીય IP અને ઉપકરણો/સામગ્રીના ઉત્પાદન માટે સંપૂર્ણ સ્કેલ પાઇપલાઇન વિકસાવવામાં આવશે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બજેટ રજૂ થવાના પહેલા કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણામંત્રી…

શેરબજારમાં ભારે કડાકો: બજેટની એક જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો

કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાનો નિર્ણય રોકાણકારોને પસંદ ન પડતા બજારમાં જોરદાર વેચવાલી શરૂ થઈ છે. બજેટ મુજબ, F&O હેઠળ STT ને 0.1 ટકા પરથી વધારીને 0.15 ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉના બજેટમાં પણ STTમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેડર્સ પહેલેથી જ દબાણમાં હતા. આ વખતે ફરી વધારો થતા ટૂંકા ગાળાના રોકાણકારો અને ડેરિવેટિવ ટ્રેડર્સમાં ભારે નિરાશા ફેલાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઘટાડો બજેટની જાહેરાત બાદ બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી જોવા મળી: – સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઘટાડો – નિફ્ટી લગભગ 700 પોઈન્ટ ઘટીને…

બજેટમાં જામનગરને મળી મોટી ભેટ, આયુર્વેદિક મેડિકલ સેન્ટરનું એલાન; દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું, જેમાં વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના જામનગર માટે કરવામાં આવેલી જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જામનગર માટે ખાસ જાહેરાત બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આયુર્વેદિક સંશોધન, શિક્ષણ અને દવાઓના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરનું હબ બનશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે ઓળખાય છે, તેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદિક AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આયુર્વેદિક…

Silver Price Today: ચાંદી $114 પહોંચતાં ઈતિહાસ, ભારતીય બજારમાં ભાવ ₹3.68 લાખ પ્રતિ કિલો

ચાંદીના ભાવમાં ફરી એકવાર ઇતિહાસ સર્જાયો છે. વૈશ્વિક બજારમાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખતાં $100નો આંકડો પાર કર્યો છે. સોમવાર, 26 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ $114 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો, જે ભારતીય બજારમાં અંદાજે ₹3.68 લાખ પ્રતિ કિલોગ્રામ બરાબર છે. આ સ્તર ચાંદી માટે વૈશ્વિક બજારમાં અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી માનવામાં આવી રહી છે. Comexના આંકડા મુજબ, એક જ દિવસે ચાંદીમાં આશરે 13% અથવા $13.15નો ઉછાળો નોંધાયો છે. હવે સવાલ: શું ચાંદી ₹4 લાખ સુધી પહોંચશે? ચાંદીના ભાવમાં આવેલા આ જંગી ઉછાળાને જોતા બજારમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે – શું આગામી થોડા દિવસોમાં ચાંદી ₹4 લાખ પ્રતિ કિલોગ્રામને વટાવી જશે? બજાર નિષ્ણાતો અનુસાર, હાલના વલણને જોતા તેનો જવાબ હા હોઈ શકે છે. ચાંદીના…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 દિવસ ચાલશે, જાણો બેઠકોની વિગત

ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રની અવધિ અને બેઠકો ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે. સત્રનું મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે. ચર્ચા અને નાણાકીય કામકાજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા…

બજેટ સત્ર 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રને મંજૂરી આપી છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રહેશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલે સમાપ્ત થશે. 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા કામચલાઉ સમયપત્રક મુજબ, 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પરંપરાગત રીતે વર્ષના પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિનું ભાષણ થાય છે. બીટિંગ રિટ્રીટ સમારોહને કારણે 29 જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં થાય. આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરીએ સંસદ મળશે, પરંતુ 31 જાન્યુઆરીએ લોકસભા અને…

28 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે 29 જાન્યુઆરીએ લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, વિકાસ દર અને આગામી પડકારોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરશે. મોદી 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ આ બજેટ મોદી 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ હશે. ત્રીજા કાર્યકાળ દરમિયાન સરકારનું પહેલું પૂર્ણ બજેટ વર્ષ 2025માં રજૂ કરવામાં આવ્યું હતું. આવનારો બજેટ સરકાર માટે ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે દેશની આર્થિક ગતિ જાળવવા સાથે સાથે સામાન્ય નાગરિકોને રાહત આપવાની દિશામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. મધ્યમ વર્ગને રાહતની અપેક્ષા આ વખતના બજેટથી મધ્યમ વર્ગને વિશેષ રાહત મળવાની અપેક્ષા છે. ઊંચા કરવેરા, વધતી…

કેન્દ્રીય બજેટ 2026-27 માટે જનતાના સૂચનો આમંત્રિત, ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે સરકારની તૈયારીઓ શરૂ

કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજેટને વધુ લોકભોગ્ય અને વ્યાપક બનાવવા માટે નાણા મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગજગત પાસેથી સૂચનો અને અભિપ્રાયો આમંત્રિત કર્યા છે. વર્ષ 2025ના અંતિમ મહિનાઓમાં જ બજેટ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે. નાણા મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે આગામી કેન્દ્રીય બજેટ માટે જનતાના સૂચનો ખૂબ મહત્વના રહેશે. સરકારનો ઉદ્દેશ્ય બજેટ પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકશાહી બનાવવાનો છે. MyGov પ્લેટફોર્મ પર આપી શકાશે સૂચનો નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાગરિકો MyGov (માય ગવર્નમેન્ટ) પ્લેટફોર્મ મારફતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકશે. આ સૂચનોમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને આર્થિક વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થવાની અપેક્ષા છે. ‘વિકસિત ભારત’…