મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે આપવામાં આવી વિદાય

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારનું શુક્રવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મનોજ કુમારે શુક્રવારે સવારે 3:30 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મનોજ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં થયા, જ્યાં તેમના પુત્ર કુણાલે અંતિમ સંસ્કાર કર્યા. આ દુઃખની ઘડીમાં બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક, અરબાઝ ખાન તેમના પિતા સલીમ ખાન , સુભાષ ઘાઈ, રાજપાલ યાદવ, અનુ મલિક અને પ્રેમ ચોપરા જેવા ઘણા…