રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર નીતિન ગડકરીના કાર્યાલયનો ખુલાસો, કહ્યું- નિવેદનનો રાજકારણ સાથે….

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના તાજેતરના એક નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં શરૂ થયેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નાગપુરના એક કાર્યક્રમમાં ગડકરીએ નવી પેઢીને વધુ જવાબદારી સોંપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું ગડકરી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપી રહ્યા છે? જોકે, હવે તેમના કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે ગડકરીનું નિવેદન રાજકારણ અંગે નહોતું, પરંતુ લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટના કામકાજ અને ભવિષ્યના નેતૃત્વ અંગે હતું. ‘નવી પેઢીને તક આપવી જોઈએ’ નિવેદનથી મચી હતી હલચલ નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત કામ કરી રહ્યા છે અને હવે પહેલાં જેટલું કામ કરી શકતા નથી. તેમણે નવી પેઢીને વધુ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી? ‘વંદેમાતરમ્’ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, 8 સપ્ટેમ્બરે સુનાવણી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે ‘વંદેમાતરમ્’ના ગાન દરમિયાન કથિત રીતે અવરોધ ઊભો કરવાના આરોપોને લઈને ગાજિયાબાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારી લેવામાં આવી હોવાનું જણાવાયું છે અને આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો 15 ઑગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન ‘વંદેમાતરમ્’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો હતો. હિન્દુ સેનાના નેતાએ કરી ફરિયાદ ગાજિયાબાદ કોર્ટમાં સોનિયા…

‘વારંવાર રજૂઆત છતાં કોઈ મારી વાત નહોતું સાંભળતું’, હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા પાછળના કારણો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હરભજન સિંહે દાવો કર્યો છે કે AAPમાં રહીને તેમણે પંજાબના રમતગમત ક્ષેત્ર માટે અનેક સૂચનો અને રજૂઆતો કરી હતી, પરંતુ તેમના વિચારો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ, તેઓ રાજકારણ કરતાં રમતગમતના વિકાસ માટે કામ કરવાની આશા સાથે AAPમાં જોડાયા હતા. હરભજન સિંહે એપ્રિલ 2026માં AAP છોડીને BJPનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ રાઘવ ચઢ્ઢા સહિત AAPના અન્ય છ રાજ્યસભા સાંસદો સાથે BJPમાં જોડાયા હતા. તેમના રાજકીય પક્ષપલટા બાદ પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હરભજન સિંહ રમતગમતના વિકાસ માટે રાજકારણમાં આવ્યા હતા હરભજન સિંહના જણાવ્યા પ્રમાણે,…

ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં – અનિરૂદ્ધ દવે (કચ્છ) – ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ) – અજય બ્રહ્મભટ્ટ…

અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત

ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી શકશે નહીં. તેમની હાજરીની અપેક્ષા હતી, પરંતુ તેઓ હાલમાં બિહાર પ્રવાસે હોય જેના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. નવા મંત્રીમંડળ માટે તૈયારીઓ આખરી ચરણમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટે તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. રાજ્યમાં કોને મંત્રીપદ મળશે અને કોનું પત્તું કપાશે તે અંગેનું સ્પષ્ટ ચિત્ર આવતીકાલે સામે આવશે. સૂત્રોના મતે, કેટલાક ધારાસભ્યોને શપથ માટે ફોન દ્વારા તૈયારી રાખવા સૂચના મળી ગઈ છે. શપથ બાદ તરત કેબિનેટ બેઠકની સંભાવના – 17 ઓક્ટોબર, 2025: નવા મંત્રીમંડળની શપથવિધિ – શપથ બાદ: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક…

Surat : BJP ના બે કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પક્ષે બંનેને ફટકારી નોટીસ

ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિ બાદ સુરત શહેરના પાર્ટી કાર્યાલયમાં ઘમાસાન સર્જાયું છે. ભાજપના બે સક્રિય કાર્યકરો દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયના અંદર છૂટા હાથની મારામારી થઈ ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિવાદની શરૂઆત ચા-નાસ્તાની બાબતે થઈ પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ સાવલિયાની પટાવાળાના સાથે થયેલી સામાન્ય બોલચાલમાંથી વિવાદ શરુ થયો હતો. જેમા શૈલેષ જરીવાલા, જે ભાજપ કાર્યાલયના ખજાનચી છે, વચ્ચે પડ્યા બાદ મામૂલી બોલાચાલી શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. શૈલેષે દિનેશને સમજાવતાં કહ્યું હતું કે: “હું ખજાનચી છું, મારે બધું જોવાનું છે,” જે પરિસ્થિતિને વધુ બગાડી ગઈ. બંને વચ્ચે ઘર્ષણ વધતાં લાફા અને ધક્કામુકી સુધીનો મામલો પહોંચી ગયો. ભાજપનો તરત જવાબ: બંનેને નોટિસ વીડિયો વાયરલ થતાં શહેર પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું…

4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યભરમાં તડામાર organizational કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમ પહેલાથી નક્કી નવો પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ભલે ભાજપે હજી જાહેરાત નથી કરી, પરંતુ પાર્ટીએ આગામી દિવસોની સંકલિત યોજનાઓ તૈયાર કરી લીધી છે. 4 ઓક્ટોબર, શનિવારે નવા પ્રમુખ દ્વારા પ્રમુખપદનો ચાર્જ સંભાળવામાં આવશે. કમલમ ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં નવી જવાબદારી સોંપાશે. ત્યારબાદ, નવા પ્રદેશ પ્રમુખ માટે સમગ્ર ગુજરાત પ્રવાસનું આયોજન થઈ ચૂક્યું છે. એક મહિના માટે પ્રદેશ પ્રવાસ અને બોડી રચના નવા પ્રદેશ પ્રમુખને ચાર્જ મળ્યા બાદ…