બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ગેરેજમાં જ લગાવી દીધી આગ

બાંગ્લાદેશમાં ચૂંટણીના ગરમાટા વચ્ચે હિન્દુઓ પર હુમલા યથાવત શરૂ છે. શુક્રવારે રાત્રે, 23 વર્ષીય ચંચલ ભૌમિકને નારસિંગડીમાં તેની જ દુકાનમાં જીવતો સળગાવી દેવામાં આવ્યો. તે રાત્રે ચંચલ ગેરેજમાં સૂતો હતો. હુમલાખોરોએ બહારથી શટર તોડી નાખ્યું, તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી. ચંચલ ચીસો પાડતો રહ્યો પરંતુ હુમલાખોરો પર તેની કોઈ અસર ન થઈ. તેઓ ત્યાં જ રહ્યા જ્યાં સુધી તેણે અંતિમ શ્વાસ લીધા નહીં. ચંચલના ખભા પર બીમાર માતા અને અપંગ ભાઈની જવાબદારી હતી. પડોશીઓના મતે, તે એક શાંત અને મહેનતુ યુવાન હતો. પરિવારનો આરોપ છે કે આ કોઈ સામાન્ય ગુનો નહોતો, પરંતુ ધાર્મિક દ્વેષથી પ્રેરિત પૂર્વયોજિત હત્યા હતી. એ નોંધનીય છે કે ભૂતકાળમાં દીપુ ચંદ્ર દાસ અને ખોખન ચંદ્ર દાસ જેવા અન્ય હિન્દુ…