Children’s Day 2025 : બાળ દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ, મહત્વ અને 2025ની થીમ
ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children’s Day) ઉજવવામાં આવે છે. બાળકોના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ભવિષ્યના નિર્માણના મહત્વને ઉજાગર કરવાનો આ દિવસ એક રાષ્ટ્રીય અવસર તરીકે મનાવવામાં આવે છે. બાળ દિવસની તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ સાથે જોડાયેલી છે. નહેરુ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને “ચાચા નહેરુ” તરીકે ઓળખતા. તેમના આ સ્નેહ, દૃષ્ટિ અને બાળકોના ઉન્નતિ માટેના યોગદાનને કારણે તેમના જન્મદિવસને જ બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળ દિવસ 14 નવેમ્બર કેમ ઉજવાય છે? પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને દરેક…







