UAEથી સોનું લાવતા મુસાફરો માટે ખુશખબર!, નવા બેગેજ નિયમોથી મળશે મોટો ફાયદો
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ બેગેજ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 2 ફેબ્રુઆરી 2026 થી Baggage Rules, 2026 અને Customs Baggage Regulations, 2026 અમલમાં આવ્યા છે, જે ખાસ કરીને UAEથી ભારત આવતા મુસાફરો, NRI અને ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત લઈને આવ્યા છે. Duty-Free મર્યાદા વધારીને ₹75000 સરકારે કસ્ટમ્સ ડ્યૂટી વગર લાવી શકાય તેવા સામાનની મર્યાદા ₹50000થી વધારીને ₹75000 કરી છે. આ છૂટ એરપોર્ટ અને સમુદ્રી માર્ગે આવતા ભારતીય નાગરિકો, NRI, OCI અને માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને મળશે. વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા ₹25000 રહેશે. UAEથી આવતા મુસાફરો માટે આ બદલાવ ખાસ મહત્વનો છે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને કપડાં સસ્તા મળે છે. હવે આવા સામાન પર ટેક્સની ચિંતા ઓછી થશે. સોનાના…







