દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો હાજર છે, જે સીધા માનવ સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યા છે. ખતરનાક તત્વો PM 2.5 કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે ફેફસાના ફિલ્ટરને પાર કરી લોહીમાં ભળી જાય છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે. પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત અભ્યાસ મુજબ આ ઝેરી તત્વો મુખ્યત્વે નીચેના સ્ત્રોતો દ્વારા હવામાં ભળે છે: – રસ્તાની ધૂળ અને માટી – વાહનોનું ઉત્સર્જન – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ – અશ્મિભૂત…

દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બમણો માર: AQI ચિંતાજનક, 30 ડિસેમ્બર સુધી શીત લહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી-NCR વિસ્તારમાં હાલની ઠંડી અને હવા પ્રદૂષણનો મિશ્રણ મોટા પાયે ગભરાવનું કારણ બની રહ્યું છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં શીત લહેર અને ધુમ્મસની ચેતવણી આપી છે. આ ક્ષેત્રોમાં ઠંડીના જોરદાર ઝટકા સાથે પ્રદૂષણના સ્તર પણ વધતા જવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીમાં 40 મોનિટરિંગ સ્ટેશનોમાંથી અડધા થી વધુ “ગંભીર” શ્રેણીમાં છે. CPCBના જણાવ્યા અનુસાર, 6 વાગ્યે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 391 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં છે. આનંદ વિહારમાં 445, ITOમાં 403, વઝીરપુરમાં 433, રોહિણીમાં 424 અને પટપડગંજમાં 424 AQI નોંધાયા છે. NCRમાં પણ હવા ગુણવત્તા ખૂબ ખરાબ છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ અને વસુંધરામાં અનુક્રમે 394 અને 429 AQI નોંધાયું, જ્યારે નોઇડાના સેક્ટર 125 અને 1માં…

નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર

દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે. ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પરિવહન ક્ષેત્રની જવાબદારી ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક…

દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…

દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણ સામે કડક પગલાં, કંપનીઓને 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ

દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ સતત વધતા જતા હવે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વધતા પ્રદૂષણને કારણે, સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ફક્ત 50% સ્ટાફ સાથે કાર્યરત રહેવાની સૂચના આપવામાં આવી છે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. આ નિર્ણય ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કાના ભાગરૂપે 24 નવેમ્બર, 2025 ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ પગલાં – તમામ સરકારી અને ખાનગી કચેરીઓ હવે 50% સ્ટાફ સાથે કાર્યરત રહેશે. – બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરશે. – વાહનની અવરજવર અને ઓફિસ હાજરી પર કડક નિયંત્રણ લાગુ થશે. – હોસ્પિટલ, ફાયર સર્વિસ, જાહેર પરિવહન, સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગો જેવી આવશ્યક સેવાઓ મુક્ત રહેશે. GRAP III હેઠળ નિયમો – PM2.5 અને PM10ના…

દિલ્હી વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિમાં: AQI 400 ને પાર, રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ

દિલ્હી આજે ખતરનાક સ્તરના વાયુ પ્રદૂષણ સાથે ઝેરી ધુમ્મસમાં છવાયેલો છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને વટાવી ગયો છે. CPCBના આંકડા અનુસાર, આજે સવારે આ વિસ્તારોમાં AQI આ પ્રમાણે નોંધાયું: – આનંદ વિહાર: 416 – અશોક વિહાર: 443 – આયા નગર: 332 – બાવાના: 437 – બુરાડી: 418 – DTU: 432 – દ્વારકા: 414 – ITO: 399 – જહાંગીરપુરી: 451 મોક્ષિત પ્રદૂષણને કારણે શહેરના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. એક નિવાસીએ કહ્યું કે, “પ્રદૂષણ એટલું ગંભીર છે કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયું છે. અમે બહાર જવાનું ટાળી રહ્યા છીએ અને માસ્ક પહેરવાની ફરજ પડી રહી છે.” મોતી બાગમાં AQI 439…

પાકિસ્તાન : લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરી એકવાર સામેલ, AQI 577 ના “ખતરનાક” સ્તર પર…

પંજાબ પ્રાંતની રાજધાની લાહોર ફરી એકવાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવ્યું છે. IQAir ના હવા ગુણવત્તા ડેટા અનુસાર, રવિવારે વહેલી સવારે લાહોરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 577 ના “ખતરનાક” સ્તર પર પહોંચ્યો. સતત ચોથા દિવસે શહેરના મોટા ભાગો ગાઢ ધુમ્મસમાં છવાયેલા રહ્યા, જેના કારણે દૃશ્યતા ઘટી અને સ્થાનિક રહેવાસીઓમાં ગંભીર આરોગ્ય ચિંતાઓ ઉભી થઈ. હવા પ્રદૂષણનું સ્તર DHA ફેઝ 8 માં 448, ગુરુમંગટ રોડ પર 342 અને AC ઓફિસ શાલીમાર કોમ્પ્લેક્સ પાસે 305 સુધી નોંધાયું, જ્યારે ગુજરાંવાલા 632 અને સિયાલકોટ 462 સુધી પહોંચ્યું. પર્યાવરણીય નિષ્ણાતોએ જણાવ્યું કે લાંબા સમય સુધી આ ભારે પ્રદૂષણના સંપર્કમાં રહેવું શ્વસન રોગો, આંખ અને ગળામાં બળતરા, તેમજ ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખતરનાક છે. લાહોરમાં સ્થાનિક જૂથો અને પોલીસ ધુમાડા વિરોધી…

દિલ્હીમાં પ્રદૂષણ પર ભારે હોબાળો! ‘ઝેરી હવા’ સામે લોકો રસ્તા પર ઉતર્યા, ઇન્ડિયા ગેટ પર પ્રદર્શનકારીઓની અટકાયત

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ખતરનાક બની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. અનેક વિસ્તારોમાં AQI 420 થી ઉપર નોંધાયો છે, જે “Hazardous” કેટેગરીમાં આવે છે. લોકો રસ્તા પર ઉતર્યા – ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન દિલ્હીની હવામાં વધતા ઝેર સામે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇન્ડિયા ગેટ પર અનેક નાગરિકો અને રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો. પરંતુ, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇન્ડિયા ગેટ વિરોધ માટે માન્ય સ્થળ નથી, તેથી જંતર-મંતર તરફ જવાની સૂચના આપવામાં આવી હતી. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરનો આરોપ વિરોધ દરમિયાન આમ આદમી…