અમદાવાદ: મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વની જાણકારી, આજે આ રૂટ રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોવાથી શહેરની મેટ્રો સેવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે મેટ્રો ટ્રેન સેવાના એક રૂટ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રો સેવા બંધ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો યોજાવાના કારણે સવારે 9:45 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો મેટ્રો રૂટ બંધ રહેશે. ચાલુ રહેતા રૂટ્સ: – વસ્ત્રાલથી શાહપુર સુધી મેટ્રો સેવા યથાવત રહેશે – જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સુધીનો રૂટ પણ ચાલુ રહેશે મેટ્રો તંત્ર દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી પહેલાં સમયપત્રક ચકાસી લે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. Follow us On Social…