અમદાવાદથી ગાંધીનગર જવું બન્યું હવે સરળ, મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી જવાની ફ્રિકવન્સી વધારાઈ
B INDIA અમદાવાદ : મેટ્રોમાં અમદાવાદથી ગાંધીનગર જવું હવે સરળ બન્યું છે. 15 ફેબ્રુઆરીથી અમદાવાદથી ગાંધીનગર અને મોટેરા સ્ટેશન પર પરત ફરવા માટે મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે અને APMC – મોટેરા – GNLU – GIFT સિટીનો સીધો રૂટ પણ જાહેર કર્યો છે. GMRC એ આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેન ફ્રિકવન્સી વધારવાની પરવાનગી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મેળવી લેવામાં આવી છે. GMRC એ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને હવે ગાંધીનગરના સેક્ટર-૧ અને GIFT સિટીની મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અથવા GNLU પર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. GNLU સ્ટેશન…







