રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી
ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.” અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે.…
દિવાળીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકારે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે દિવાળી પર મોટી રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમ્યાન થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા ખેડૂતોના નુકસાનને ધ્યાને લઇને રાજ્ય સરકારે રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. કયા જિલ્લાઓને મળશે લાભ? આ રાહત પેકેજ મુખ્યત્વે નીચેના 5 જિલ્લાઓના 18 તાલુકાઓ માટે લાગુ પડશે: – પંચમહાલ – કચ્છ – વાવ-થરાદ (બનાસકાંઠા) – પાટણ – જૂનાગઢ પાક પ્રમાણે સહાયની વિગતો: પાકનો પ્રકાર સહાય રકમ (પ્રતિ હેક્ટર) મહત્તમ મર્યાદા બિનપિયત પાક ₹12,000 2 હેક્ટર પિયત પાક ₹22,000 2 હેક્ટર બાગાયતી પાક ₹27,500 2 હેક્ટર જમીન સુધારણા (ખાસ: વાવ-થરાદ, પાટણ) ₹20,000 2 હેક્ટર પેકેજની રૂપીયાવારી વિભાજન: – ₹563 કરોડ – SDRF (State Disaster Response Fund) હેઠળ – ₹384…








