ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, જે આવતા 48 કલાકમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ “ચક્રવાતી પરિભ્રમણ”ના સ્વરૂપમાં વિકસતી જઈ રહી છે, જે સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈ સુધી વ્યાપી છે. આ હવામાન પ્રણાલી ઉત્તર અને પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે. IMD એ ઉત્તર આંદામાન સમુદ્ર માટે તોફાની હવામાનની ચેતવણી જાહેર કરી છે, જ્યાં 55 કિમી પ્રતિ કલાક સુધીના તીવ્ર પવનની શક્યતા છે. 4 નવેમ્બરથી આ સિસ્ટમ વધુ તીવ્ર બનશે અને દરિયાની સ્થિતિ પણ જોખમી રહેશે, એવું અનુમાન છે. સ્થાનિક…
રાજસ્થાન: આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સંભાવના, નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય
નવી હવામાન પ્રણાલીના પ્રભાવને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયપુર હવામાન કેન્દ્ર મુજબ, અરબના અખાતમાં બનેલ ડિપ્રેશન ધીમું પડી ગયેલું છે અને હવે તે ‘વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા’ (WMM)માં પરિવર્તિત થયું છે. પરિણામે, 1 અને 2 નવેમ્બરના રોજ ઉદયપુર અને કોટા વિભાગમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન સુકું રહેશે. 3 નવેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. આ કારણે 3 અને 4 નવેમ્બરના રોજ જોધપુર, ઉદયપુર, અજમેર, જયપુર, ભરતપુર અને કોટા વિભાગના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને હવામાનમાં ઠંડી લાગવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન…








