જાણો શું છે બગદાણાનો મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ, કેમ માયાભાઈએ માફી માંગી; કેમ હીરા સોલંકી આવ્યા મેદાને ?
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ સતત ચર્ચામાં છે. આ વિવાદમાં રાજકારણ અને પોલીસ તંત્રની પણ એન્ટ્રી થઈ છે અને બીજી તરફ માયાભાઈ આહિરે પોતાના નિવેદન અંગે પણ વિડીયો જાહેર કર્યો હતો. પરંતુ ગઇકાલે ધારાસભ્ય હીરા સોલંકી આ મામલે મેદાને આવતા તાત્કાલિક PI ની બદલી કરવામાં આવી હતી, આ વિવાદના મૂળ બગદાણા મંદિર ટ્રસ્ટ જોડે જોડાયેલ છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માયાભાઈ આહિરનો એક વિડીયો જાહેર થયો હતો. જેમાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. જેને લઈને બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ આહીર સાથે ફોન પર વાત કરી હતી. અને જણાવી હતું કે ટ્રસ્ટમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યાર બાદ માયાભાઈ આહિરે માફી…







