ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹ 509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા હર્ષ સંઘવી
ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 509.23 કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. 140.83 કરોડના ખર્ચે 35 વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. 368.40 કરોડના ખર્ચે વિકાસ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીમાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ની મહત્વાકાંક્ષી PM e-Bus Sewa યોજના હેઠળ ભાવનગર શહેરમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ, સ્માર્ટ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે 50 ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અધેવાડા ખાતે બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતનું સૌપ્રથમ…
રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.…
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું: 74 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો પર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગામી છઠ્ઠા દિવસ સુધી હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે. આરંભે, 31 ઓક્ટોબરના રોજ રાજ્યના 74 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, અમરેલીના રાજુલામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદની નોંધ છે. 74 તાલુકામાં વરસાદનો વિતરણ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા મળેલા માહિતી મુજબ, 31 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં વર્ષા નોંધાઇ: – અમરેલી: જાફરાબાદ – 1.57 ઇંચ – ભાવનગર: તળાજા – 1.1 ઇંચ ગીર સોમનાથના ઉના, ભાવનગરના મહુવા, નવસારીના ગણદેવી, વલસાડના વાપી, ઉમરગામ, પારડી સહિત…









