ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે, જે આવતા 48 કલાકમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ “ચક્રવાતી પરિભ્રમણ”ના સ્વરૂપમાં વિકસતી જઈ રહી છે, જે સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈ સુધી વ્યાપી છે. આ હવામાન પ્રણાલી ઉત્તર અને પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે. IMD એ ઉત્તર આંદામાન સમુદ્ર માટે તોફાની હવામાનની ચેતવણી જાહેર કરી છે, જ્યાં 55 કિમી પ્રતિ કલાક સુધીના તીવ્ર પવનની શક્યતા છે. 4 નવેમ્બરથી આ સિસ્ટમ વધુ તીવ્ર બનશે અને દરિયાની સ્થિતિ પણ જોખમી રહેશે, એવું અનુમાન છે. સ્થાનિક…







