સાઉદીથી પરત ફરતી વખતે PM મોદીનું પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું ન હતું ! કર્યો હતો આ રૂટનો ઉપયોગ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને ભારત પાછા ફર્યા. ભારત પરત ફરતી વખતે પીએમ મોદીનું પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાનનું પ્લેન રિયાધથી પરત ફરતી વખતે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ટાળીને વૈકલ્પિક માર્ગે દિલ્હી પહોંચ્યું હતું. પીએમ મોદી મંગળવારે સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસ માટે જેદ્દાહ ગયા હતા, જ્યાં તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન જ્યારે તેમનું પ્લેન સાઉદી એરસ્પેસમાં પ્રવેશ્યું ત્યારે સાઉદી રોયલ એરફોર્સના F-15 ફાઇટર જેટ્સ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. પીએમ મોદીના સાઉદી પહોંચ્યાના થોડા સમય પછી, પહેલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર આવ્યા. આતંકી હુમલામાં…







