સુરત શહેરીજનોને રાહત આપવા મનપાની સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કરદાતાઓ અને પાણી બિલમાં રાહત આપવામાં આવશે. સુરતવાસીઓનું 41 હજાર મિલકતોના પાણી બિલમાં વ્યાજ માફ થશે. તેમજ 30 જુન સુધીમાં જે લોકો પાણીનું બીલ ભરશે તેમને ફાયદો થશે.
આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ
મનપાની સ્થાયી સમિતિ સુરતવાસીઓના મિલકતોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કરદાતાઓને 100 ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે. 35536 રહેણાંક મિલકતમાં બાકી વ્યાજની રકમ 17.29 કરોડ થાય છે જ્યારે 30 ધાર્મિક મિલકતમાં બાકી વ્યાજ રૂ.26 હજાર અને બિનરહેણાંક મિલકતમાં બાકી વ્યાજ રૂ.10.55 કરોડ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ
SMC મુજબ પાલિકાને કુલ 40,631 મિલકતો પાસેથી પાણીનું બીલ લેવાનું બાકી બોલે છે. લોકોમાં બિલ ભરવામાં ઉત્સાહ આવે માટે 30 જુન 2025 સુધીમાં બાકી નીકળતું પાણીનું બીલ ભરનારને લાભ આપવાનો મનપાએ નિર્ણય કર્યો છે. SMCના આ નિર્ણયથી બાકી રહેલ પાણી બિલ ભરાતા પાલિકાની આવકમાં વધારો થશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








