સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”

લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી.

કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર સરકારે એવો પણ આરોપ લગાવ્યો કે વાંગચુકે નેપાળ, બાંગ્લાદેશ અને ‘આરબ સ્પ્રિંગ’ જેવી ઘટનાઓના ઉદાહરણો આપીને સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવવાનો પ્રયાસ કર્યો, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમ સમાન છે.

પત્નીની અરજી: અટકાયત ગેરકાયદેસર અને મનસ્વી
બીજી તરફ, વાંગચુકની પત્ની ગીતાંજલી એંગ્મોએ નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળની અટકાયતને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. વાંગચુક તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે પોલીસે પસંદગીના વિડિયોના આધારે વાંગચુકને નિશાન બનાવ્યા છે. સિબ્બલના જણાવ્યા અનુસાર, વાંગચુકે જાહેરમાં હિંસાની નિંદા કરી હતી અને તેઓ હંમેશા લદ્દાખના શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગે આંદોલનના સમર્થક રહ્યા છે. ત્રણ દાયકાથી શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિને અચાનક ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવવી અયોગ્ય છે, તેવી દલીલ કરવામાં આવી.

હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ
હાલમાં સોનમ વાંગચુક જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પણ સુનાવણી ચાલુ રહેશે. હવે જોવાનું એ રહેશે કે વાંગચુકની તબિયતને ધ્યાનમાં રાખીને સરકાર નરમ વલણ અપનાવે છે કે નહીં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર

નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન…

શ્રેયસ તલપડે વિરુદ્ધ યુપીમાં છેતરપિંડીનો કેસ નોંધાયો, 12 અન્ય લોકો સામે FIR

બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ભોગાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ શ્રેયસ તલપડે સહિત કુલ 13 લોકો સામે…