“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.

ફરિયાદનો મુદ્દો
ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે કંપની અને બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન બંને લોકપ્રિયતા અને નફા માટે લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે.

સ્વાસ્થ્ય પર જોખમનો મુદ્દો
વકીલ રિપુદમન સિંહે દલીલ કરી હતી કે આવી જાહેરાતો યુવાનોને પાન મસાલા અને તમાકુ ઉત્પાદનો તરફ આકર્ષિત કરે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના પ્રમોશનથી કેન્સર અને અન્ય ગંભીર રોગોનું જોખમ વધે છે.

ફરિયાદીએ માગણી કરી છે કે:
– આવા ઉત્પાદનોની જાહેરાતો પર તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ.
– સલમાન ખાનના રાષ્ટ્રીય પુરસ્કાર પાછા ખેંચવા જોઈએ.
– ગ્રાહકોને ભ્રમિત કરનાર જાહેરાતો સામે કડક પગલાં લેવાં જોઈએ.

અદાલતનો પગલાં
કોટા ગ્રાહક અદાલતે આ કેસની નોંધ લીધી છે અને સલમાન ખાન તેમજ રાજશ્રી પાન મસાલા કંપનીને નોટિસ પાઠવી છે. બંને પક્ષોને 27 નવેમ્બર સુધીમાં પોતાના પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ કેસ હવે સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ, ખોટી જાહેરાતો અને ગ્રાહક અધિકાર અંગે દેશવ્યાપી ચર્ચાનો વિષય બની રહ્યો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ EDએ નોટિસ ફટકારી નોટિસ

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.  FEMA ઉલ્લંઘન બદલ KIIFB અને વરિષ્ઠ અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવી છે, અને ₹466 કરોડ (આશરે $4.66 બિલિયન) ની રકમ…