રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને સંબોધન નહીં કરે, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ કરશે.
આ મુલાકાત દરમિયાન, ડૉ. મોહનજી ભાગવત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર ભાર મુકશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે આ સંવાદ દ્વારા ઊંડું ચિંતન અને વિચારોનો વિનિમય થશે.
ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે દેહ અને પારિવારિક સંબંધ છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવત, ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવતા રહ્યા હતા.
મોહનજી ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર, 1950ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં થયો હતો. બાળપણથી જ સંઘના સ્વયંસેવક તરીકે જોડાયેલા તેઓએ નાગપુર વેટરનરી કોલેજમાંથી પશુચિકિત્સક (બી.વી.એસ.સી.)ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1975થી પ્રચારક તરીકે રાષ્ટ્રકાર્યમાં જોડાયા અને અકોલા, નાગપુર અને બિહાર ક્ષેત્રમાં વિવિધ જવાબદારીઓ નિભાવી. 21 માર્ચ, 2009થી તેઓ આરએસએસના સરસંઘચાલક તરીકે સંગઠનનું માર્ગદર્શન આપી રહ્યા છે.
તેમણે ‘યશસ્વી ભારત’ અને હિંદુત્વની પૃષ્ઠભૂમિ જેવા પુસ્તકો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમના આ પ્રવાસથી સંઘના કાર્યકર્તાઓ અને સમાજ શ્રેષ્ઠોમાં નવી ઊર્જા અને પ્રેરણા જગાશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






