પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’
यह डर अच्छा है!!
Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 27, 2025
પાટીલે બિલાવલ ભુટ્ટોને પડકાર ફેક્યો
બીજી તરફ પાટીલે પણ પાકિસ્તાની નેતાને બિલાવલ ભુટ્ટોને પડકાર ફેક્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ પાકિસ્તાનમાં પાણી બંધ કરાવી દીધું, બિલાવલે કહ્યું પાણી નહીં આપો તો ભારતમાં લોહીની નદી વહેશે, આપણે શું આવી ગીધડ ધમકીથી ડરીએ છીએ, ભાઇ શાંતિ રાખ અને તાકાત હોય તો ભારતમાં આવો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






