પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, જાણો વિગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે યુવાનો દેશના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ અતીત, વર્તમાન અને ભવિષ્યને જોડતો પવિત્ર તહેવાર છે, જે દેશની દિશા અને સ્થિતિ પર ચિંતન કરવાની તક આપે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારત પોતાના રાષ્ટ્રીય ભાગ્યનો નિર્માતા બન્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થપાયું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા આદર્શો પર આધારિત છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો બનાવે છે. આ આદર્શો બંધારણના નિર્માતાઓની દૃષ્ટિ અને રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આવા સ્મરણોત્સવો રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે આપણા પૂર્વજોએ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સાંસ્કૃતિક એકતાનું મજબૂત તાણું વણ્યું છે, જે આજે પણ લોકશાહીને જીવંત રાખે છે.

સંબોધનમાં રાષ્ટ્રપતિએ વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠની ઉજવણીનો પણ ઉલ્લેખ કર્યો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ અને શ્રી અરવિંદો દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત આ ગીત રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે અને જન-જનમાં દેશભક્તિનો સંચાર કરે છે.

તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે 23 જાન્યુઆરીએ આપવામાં આવેલી શ્રદ્ધાંજલિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વર્ષ 2021થી આ દિવસને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નેતાજીનો ‘જય હિંદ’નો નારો આજે પણ દેશના રાષ્ટ્રીય ગૌરવ અને આત્મવિશ્વાસની ઘોષણા છે, ખાસ કરીને યુવાનો માટે પ્રેરણારૂપ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

ઈરાનનો સાઉદી અરેબિયામાં Prince Sultan Air Base પર હુમલો, US વિમાન અને સૈનિકોને ભારે નુકસાન

સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર 27 માર્ચે ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં યુએસ સૈનિકો અને લશ્કરી સાધનોને મોટો ફટકો પહોંચી ગયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 યુએસ…